નરેંદ્ર કુમાર વર્મા
Description
સિંહાસન બત્રીસી સમ્રાટ વિક્રમાદિત્યના જીવનથી સંબંધિત રાજનીતિ, દયા, દાન, જ્ઞાન, ત્યાગ અને એમના ન્યાયથી સંબંધિત એ ૩૨ કથાઓનો સંગ્રહ છે, જે એમના સિંહાસન સ
...
ાથે જોડાયેલી બત્રીસ પૂતળીઓ દ્વારા રાજા ભોજને સંભળાવવામાં આવી હતી. આ કથાઓમાંથી આપણને જ્ઞાત થાય છે કે, સમ્રાટ વિક્રમાદિત્ય કોણ હતા, એમની ન્યાય કરવાની રીત કેવી હતી? તે લોકજીવનમાં ન્યાયપ્રિય રાજાના નામથી હજારો વર્ષો પછી પણ કેમ લોકપ્રિય છે?
સિંહાસન બત્રીસીની વાર્તાઓ આજે પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે, જેટલી પહેલાં હતી. સમય-કાળ જરૂર બદલાયો છે, પરંતુ એક રાજાનો સર્વોચ્ચ ધર્મ જનતા જનાર્દનનું કલ્યાણ કરવાનો જ સર્વપ્રથમ અને અંતિમ હોય છે. આ પુસ્તકમાં સમ્રાટ વિક્રમના અનોખા પ્રયોગ છે, જે આજની જરૂરિયાત છે. કિશોરોના વ્યક્તિત્વ વિકાસ માટે આ કથાઓનું પોતાનું અલગ અને પ્રભાવપૂર્ણ મહત્ત્વ હશે.
Read more